મોરબીમાં આવતીકાલે રામનવમીએ શોભાયાત્રાનું આયોજન

મોરબી: આગામી તારીખ ૧૭ એપ્રિલને બુધવારના રોજ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન પર્વે સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા મોરબીમાં ભવ્યતાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષની શોભાયાત્રાને વિજયયાત્રા નામ આપવામાં આવ્યું છે જે આવતીકાલે તારીખ ૧૭ એપ્રિલ ને બુધવારના રોજ રામ નવમીના પાવન આવસરે બપોરે ૪ કલાકે મોરબીના સર્કિટ હાઉસથી શોભાયાત્રાની શુભ શરૂઆત થશે. આ શોભાયાત્રા મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસસ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, સીતા ચોક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરૂ ગેઈટ થઈને ગ્રીન ચોક ખાતે સમાપ્ત થશે. ત્યારબાદ દરબારગઢ રામ મહેલ મંદિરે મહાઆરતી કરવામાં આવશે. સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા આયોજિત આ વિજયયાત્રામા સર્વે હિન્દુ સમાજને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img