મોરબી: મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિપેલેસ બીલ્ડીંગ આરોપીના રહેણાંક મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા નવ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રૂષભ સોસાયટીના ગેઈટ પાસે અભિપેલેસ બીલ્ડીંગ આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુના રહેણાંક ફ્લેટ મકાનમાં આરોપી અજયભાઇ તથા આરોપી જય લલિતભાઈ અધેરા તથા મિત જયેશભાઇ કાલરીયાએ મળી નવ ઈસમોને કામે રાખી મેળાપીપણુ કરી લેપટોપ, મોબાઇલ ફોનથી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ક્રિક્રેટ સીરીજ મેચમાં TIGER EXCHANGE.COM, GO EXCHANGE.COM, INDIA KHEL.COM, KING EXCHANGE.COM, VIP EXCHANGE.COM, નામના ડોમીનમાં આરોપીઓની I2RAJA13, INDIANVIP2 વાળી આઇ.ડી.માં જુદી જુદી રમતો ક્રિક્રેટ, હોકી, ફુટબોલ વિગેરેમાં આઇ.ડી.ઓ બનાવી તેમાં જુદાજુદા ગ્રાહકો સાથે તાજેતરમાં ચાલતી ટાટા આઇ.પી.એલ.માં ચાલતી ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમતા આરોપી અજયભાઇ કરશનભાઇ બાકુ, વિક્રમભાઇ નાનજીભાઇ જોષી, નિકુલભાઇ ભુરાભાઇ આશલ, મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી, મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા, હસમુખભાઇ શિવરામભાઇ આશલ, નવીનભાઇ ગંગારામભાઇ જોષી, અશોકભાઇ ભુરાભાઇ જોષી, પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ રહે. બધાં અભિપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ રૂષભ સોસાયટી સોસાયટી ગેઇટ પાસે મોરબી વાળા પાસેથી ચાર લેપટોપ તથા મોબાઇલ ફોન નંગ -૧૭ તથા રોકડા રૂપિયા મળી કુલ કિં રૂ.૨,૬૦,૪૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો જય લલિતભાઈ અધેરા રહે. મોરબી તથા મિત જયેશભાઇ કાલરીયા રહે. રાજકોટવાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...