મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને ગોર ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રવીભાઈ હુંબલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અશોકભાઈ દેસાઈ (મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ), પરેશ ભાઈ રૂપાલા (તાલુકા પંચાયત સદસ્ય નાની વાવડી), સાગર ભાઈ સદાતીયા ( મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ) તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઇ મોરડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...