મોરબી: ગત રોજ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે મોરબીના ડી.ડી.ઓ દ્વારા રાત્રિસભામાં યોજવામાં આવી હતી.
આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા ગામલોકોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર નિવારણ કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત દફતરની તપાસણી કરી હતી તેમજ ગામની અને પ્રાથમિક શાળાની સ્થળ વિઝીટ પણ કરવામાં આવી હતી.
આ તકે લૂંટાવદર ગામના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા નું સ્વાગત કરવામાં આવ્યું હતું તમેજ આ રાત્રીસભા દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...