મોરબીમાં હલકી ગુણવત્તાનં ઘી વેચાતું હોવાની ફરિયાદને પગલે આજે મોરબી ફૂડ વિભાગની ટીમે નહેરૂ ગેઇટ નજીક આવેલ બે પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા આજે નહેરુ ગેઇટ મેઈન બજારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી એમ બે પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા અને બાકી વધેલા કુલ ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે નમુના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે અને પરિણામ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...