મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
તેમજ વિદાય સમયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તથા આચર્ય ભરતભાઇ બી. લોહિયાની આંખમાંથી પણ આસુ સરી પડ્યા હતા. જ્યારે શાળામાથી વિદાય લઇ રહેલા ધોરણ ૮ ના વહાલા બાળ પુષ્પો જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરીને ખુબ આગળ વધે એવી શિક્ષકો દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નાસ્તો અને આઇસ્ક્રીમ આપવામાં આવ્યા હતા.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...