મોરબી:અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ શ્રમિકનું મોત.

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૨ માં રહેણાંક મકાનમાં સુતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થયેલ પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.

અપમૃત્યુના બનાવ અંગેની મળતી વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં.૨ માં આવેલ જે.કે. ક્લોક પાર્ટસમાં રહેતા મૂળ અલવારા તા.મંજનપુર કૌશામ્બી ઉત્તરપ્રદેશના વતની વિકાસ રામમિલન સરોજ ઉવ.૨૯ ગઈકાલ તા.૧૭/૦૩ના રોજ ઉપરોક્ત રહેણાંકે સુતા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ બાદ બેભાન થઈ ગયેલા વિકાસ સરોજને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી વિકાસભાઈને મૃત જાહેર કર્યા હતા, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img