મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પડસુંબિયા દ્વારા મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ ગોકળગાયની હતી એ ચાલતું હોઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલતું હોય ત્યારે રાહદારીઓને તેમજ વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઈ. ત્યારે ઓવરબ્રિજની વચ્ચેનો રસ્તો બંધ હોવાના કારણે વાહનચાલકોને પુલના છેડેથી ફરીને જવું પડતું હોઈ ત્યારે વાહનચાલકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે આ કામ સત્વરે પૂર્ણ કરવાં માટે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...