મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા મોરબી પોલીસ તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ મોરબી ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બાતમી મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પોલીસ દ્વારા સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને પલાસડી ગામે ફરીયાદીના ઘરેથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને વિરમગામ તાલુકાના વણીગામે હોવાની મળેલ બાતમીના આધારે પોલીસ ટીમને મોકલતા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા જાતે કોળી ઉવ. ૨૩ હાલ રહે. હસનપર, શકિતપરા તા.વાંકાનેર જિ. મોરબી મુળ રહે દુધરેજ, વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગર વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...