મોરબી: સરદારધામ – અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા માટે નિ: શુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થનાર ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ર પ્રાથમિક પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ સુધીમાં www.patidarcareeracademy.org પર અરજી કરવાની રહેશે. How to apply ( Batch>GPSC Class-1 & 2 Prelims batch 2023-24 )
અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમજ દિકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામા આવેલ છે.
(૧૦) છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ ની રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થીત થયા હોય
(૧૧) જે ઉમેદવારો અંતીમ ર વર્ષમાં UPSC PRELIMS પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય
(૧૨) તેજસ્વી અને જમીન વિહોણા ખેત-મજુરની દિકરીઓને પ્રવેશ પરીક્ષા મેરીટમાં છુટછાટ મળવા પાત્ર રહેશે. પ્રવેશ પરીક્ષા બાદ આપવામાં આવશે.
નોંધ : કેટેગરી ક્રમાંક ૬ થી ૯ અને ૧૨ માં સમાવેશ ઉમેદવારને પ્રવેશ કમીટીની મંજુરીથી વાર્ષિક આવક વગેરે બાબતો તપાસી પ્રવેશ આપવામાં આવશે.
નોંધ : એડમીશન સમયે ૫૧૦૦/- ડીપોઝીટ તરીકે લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦% થી વધારે હશે તેઓને સંપુર્ણ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
જ્યારે પ્રવેશ પરીક્ષા એવમ્ આયોજન અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર આપેલ છે. તેમજ પ્રવેશ પરીક્ષા અંદાજીત તા. ૧૦/૦૭/૨૦૨૩ જ્યારે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યુ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આવશે.
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...