મોરબી:હકારાત્મક અભિપ્રાય ધ્યાનમાં લઈને આજીવન કેદ ની સજા ભોગવી રહેલા કેદીની વહેલી મુક્તિ
મોરબી: કહેવત છે ભગવાન દુશ્મન ને જેલ ના દેખાડે ત્યારે આજીવન સજા થઈ હોય અને સારું વર્તન હોય ત્યારે સરકાર તેમને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને વહેલા જેલ માંથી મુક્તિ આપે તો તેનાં માટે સ્વર્ગજ કહેવાય
જી…હા મોરબી સબજેલમાં એક એવોજ બનાવ બન્યોછે આજીવન સજા ભોગવી રહેલા પાકા કેદી હિતેશ ઉર્ફે બાવકો શિવશંકર દવે કે જેઓએ ૧૪ વર્ષ ની કોરી સજા ભોગવી હતી ત્યારે સારી વર્ણતુક રીતે પસાર કરી જેલ માંથી ઉચ્ચ અભ્યાસ કરી સારી ડિગ્રી મેળવેલ છે, તેને ધ્યાને લઈ કલેકટર ના અધ્યક્ષ સ્થાને જેલ એડવિઝરી બોર્ડ ની કમિટી માં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકાર માં મોકલવા માં આવી હતી ત્યારે આ કેદીનીઆજીવન કેદ ની બાકી ની સજા માફ કરી c.r.p.c૪૩૩ હેઠળની વહેલી જેલ મુક્તિ ના હુકમો સરકાર તેમજ જેલોન ઇન્સ્પેક્ટર જનરલ અમદાવાદ થી થતા આજરોજ જેલ મુકત કરવામાં આવતા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી