મોરબી જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ઘણી જગ્યાઓ પર સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જા જમાવ્યા છે. પરંતુ આવી અનેક રજૂઆતો થવા છતા પરિણામ શુન્ય આવી રહ્યું છે. હાલમાં જ ટંકારાના જાગૃત નાગરિકે આવા સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે કબ્જો જમાવેલા ભુમાફિયા વિરૂદ્ધ શસ્ત્ર ઉઠાવ્યું છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ અને વિરપર ગામે રોડ ટચ કરોડોની જમીન પર ભુમાફિયાઓએ કબજો જમાવ્યો હોવાની લેખિત રજૂઆતો કરી છે.
આ અંગે અરજદાર પંકજકુમાર ત્રિવેદી જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાના લજાઈ ગામે સર્વે નંબર 694/59/1/1/13માં સરકારી ખરાબ આમાં જે સર્વે નંબર 291 વાળાએ દબાણ કરેલ જે અનુસંધાને ટંકારા મામલતદારની હાજરીમાં દબાણ હતું તે અને જે પાણીના વહેણ માં તે લોકોએ ભરતી ભરીને ખનીજ ચોરી કરીને હજારો ડમ્પર અને ટ્રક મારફતે નાખેલ છે. અને સરકારી ખરાબામાં ઉપર દિવાલ કરી બાંધકામ કરેલ છે અને સરકારી ખરાબાનો અને અધિકૃત રીતે કબજો કરેલ છે જે બાબતનું પંચનામું તા.28/02/2024ના રોજ કરેલ છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અને ભૂમાફિયાઆ આવા સરકારી ખરાબા ખાઈ જશે તો માત્ર ને માત્ર સરકારી રેકર્ડ ઉપર જ આવી જમીનો રહેશે.
અને વિરપર ગામની સરકારી ખરાબા સર્વે નં.396 ઉપર પણ ભુમાફીયાઓએ પોતાની જમીન અંદરના ભાગે હોય અને રોડ ટચ બતાવવા માટે થયને આખો સરકારી ખરાબો સર્વે નં.396ને બાંધકામની દિવાલ કરી મોટો લોખંડનો ગેઇટ મુકીને ત્યાથી રસ્તો લઈને રેસીડેન્સી પ્લોટિંગ કરીને સરકારને ચુનો ચોપડીને પોતાનો રસ્તો બાજુના ટાઉન પ્લાનિંગ મુજબ રસ્તો તેનો બાજુમાંથી જાય છે. પરંતુ પોતાની જમીન કિંમતી બતાવવા માટે પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી ખરાબાનું દબાણ કરીને રસ્તો બદલાવેલ છે. ટાઉન પ્લાનિંગ અધિકારીને નિયમ મુજબ કલમ 6માં દર્શાવેલ છે છતા તેનું પણ ઉલ્લઘન કરીને પોતાની કિંમતી જમીન અતિ કિંમતી કરીને રોડ ટચ કરીને ગેરકાયદેસર કબ્જો કરેલ છે. જેના બાબતે સરકારી તંત્ર તથા લાગતા વળગતા વહીવટી તંત્ર તથા મોરબી જિલ્લા કલેક્ટર ધ્યાન આપી યોગ્ય તપાસ કરી કાયદેસર પગલા ભરવા માટે થયને જાગૃત નાગરિક તરીકે મે મારી રજૂઆત કરેલ છે.
જાગૃત નાગરિક પંકજકુમાર ત્રિવેદીએ ટંકારાના લજાઈ અને વિરપર ગામે રોડ ટચ સરકારી જમીનો પર થયેલ દબાણ અંગે અનેક રજૂઆતો કરી છે. તથા ભુમાફીયાઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિગ ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આજ સુધી ભુમાફિયા વિરૂદ્ધ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાના પણ વહીવટી અધિકારી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ફરિયાદ અંગે મામલતદારે બન્ને સ્થળની મુલાકાત લઇને પંચનામું કરેલ જેમાં ફરિયાદીએ મામલતદારની રૂબરૂમાં સરકારી ખરાબાની જમીન ઉપર જે દબાણ થયેલ તે બતાવેલ હતું. જેમાં લજાઈ ગામે ભુમાફિયાએ મામલતદારની હાજરીમાં દિવાલનું દબાણ હોવાનું સ્વીકાર્યું હોવાથી મામલતદારે દિવાલ પાડી નાખવા જણાવ્યું હતું. જે પરથી સાબિત થાય છે કે દિવાલની સાથે સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ કરેલ છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...