મોરબી: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારોએ કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા.
થોડા દિવસમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આગામી તા-7 માર્ચથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરવાના છે, જોકે, તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની વિદાય યાત્રા શરૂ થઈ હોય તેવુ લાગી રહ્યું છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમા કમલંમ ખાતે કોંગ્રેસના ૧૭ કાર્યકર્તા અને હોદેદારો કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...