મોરબી: મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સના બંગલા નંબર – ૩૨માં પોલીસે રેઇડ કરતા જુગારધામ ઝડપાયું હતું જેમાં છ શકુનીઓને 4,53,200ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
પરંતુ સામાન્ય રીતે પોલીસ દ્વારા 5-25 હજારની જુગારની રેડમાં પણ આરોપીઓના ફોટા સાથેની માહિતી મીડિયામાં અપાતી હોઈ છે ત્યારે આવડી મોટી રેડ હોવા છતાં ફોટા આપવામાં આવ્યા ના હતા જેથી જુગારમાં ઝડપાયેલા શકુનીઓના હાથ કાનુનના હાથથી પણ લાંબા નીકળયા હતા અને ખાખી પર ખાદી ભારે પડી હોઈ તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ મકાન નં- ૩૨ પ્રવિણભાઈ કરશનભાઈ પટેલના મકાનમાં પોલીસે રેઇડ કરતા જુગાર રમતા આરોપી યોગેશભાઈ નરભેરામભાઈ સરાડવા જાતે-પટેલ. રહે- મોરબી પંચવટી સોસાયટી, ત્રીભોવનભાઈ લાલજીભાઈ આદ્રોજા રહે. આસ્થા એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી, રમેશભાઈ ડાયાભાઈ કાસુંન્દ્રા રહે- ગોકુલનગર રવાપર રોડ મોરબી, પ્રવીણભાઈ હિરજીભાઈ કકાસણીયા રહે. પંચવટી સોસાયટી મોરબી, નંદલાલભાઈ ભગવાનજીભાઈ વીડજા રહે- શનાળા રોડ મોરબી, પ્રવીણભાઈ કરશનભાઈ પટેલ રહે- મોરબી શાસ્ત્રીનગર વાળાને હારજીતનો નશીબ આધારીત તિનપતિ રોનનો જુગાર રમતા રોકડા રકમ રૂ.૧,૫૩,૨૦૦ તથા ઈનોવા કાર રજીસ્ટર નંબર- GJ-03-EL-0629 કિં રૂ.૩,૦૦,૦૦૦ ગણી કુલ કિં.રૂ.૪,૫૩,૨૦૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...