હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે ટંકારા નું સજનપર ગામ પણ રામમય બન્યું
ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ નું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામ ના નારા થી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ભવ્ય રામજીમંદિર બની રહ્યું છે તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરી એ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...