મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર તથા ક્રિષ્ના રાજુભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા સોહન તથા ભાઇ યુવરાજ તથા કાકા પ્રવિણ દેવજીભાઈ પરમાર સાથે ઝધડો કરતા હોય જેઓને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આ ત્રણેય જણાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...