મોરબી: નેકનામથી વાછકપર જતા ગ્રામીણ માર્ગે નેકનામ તળાવ પાસે ટ્રેક્ટરે રિક્ષાને ઠોકર મારતાં બે મહીલા સહિત એક માસુમ મળી કુલ ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા અરવિંદભાઈ ગાંડુભાઈ સાકરીયા એ આરોપી ટ્રેકટર નં – GJ-36-R-0341 ના ચાલક ભગવાનજીભાઈ પટેલ રહે નેકનામ તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળૂ ટ્રેકટર નં. GJ-36-R-0341 વાળુ પુર ઝડપે અને મનુષ્યની જીદગી જોખમાઇ તે રીતે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ખેતમજુર બેઠા હતા તે છકડૉ રિક્ષા જેના નં GJ- 03- Z-3224 વાળીને ઠોકર મારતા લીલાબેન મેડાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોચાડી તેમજ કાર્તીક ઉ.વ.૦૨ વાળાને ડાબા હાથમા ફેક્ચર જેવી ઇજા પહોચાડી તેમજ શર્મીલાબેન બાભણીયા મુઢ ઇજા પહોચાડી ટ્રેકટર લઇ આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે અરવિંદભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...