આજ તા.૧૯-૦૮-૨૦૨૩ ને શનિવાર ના રોજ મોડેલ સ્કૂલ-મોટીબરાર તા.માળિયા જિ.મોરબી ખાતે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
જેમાં dhorn-૯ ના કુલ ૦૮ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ કૃતિમાં ચાવડા બંશી અને બાલાસરા હર્ષિતા એ આયુર્વેદિક લિકવિડ મચ્છર ભગાવવા માટે ની કૃતિ રજૂ કરી હતી તથા દ્વિતીય કૃતિમાં ડાંગર ભક્તિ અને ડાંગર દિયા એ સ્માર્ટ ઘરની કૃતિ રજૂ કરી હતી તથા તૃતિય કૃતિ કાનગડ તેજસ્વી અને ડાંગર ધરતી એ રોગ ભગાવો અને નિરોગી રહો કૃતિ રજુ કરી હતી તથા ચતૃથ કૃતિ બોરીચા દર્શના અને ડાંગર કાજોલ એ પ્લાસ્ટોસકોપ કૃતિ રજુ કરી હતી આ કૃતિના નિર્ણાયક તરીકે શાળાના આચાર્ય બી.એન. વીડજા (વર્ગ-૨) અને બધા શિક્ષકોએ ભૂમિકા નિભાવી હતી શાળાના દરેક વિદ્યાર્થીઓ એ કૃતિને નિહાળી આ તકે આચાર્ય બી.એન. વીડજા એ દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનના અવનવા સંશોધન માટે પ્રેરાય એ માટે માર્ગદર્શન આપ્યું અને આગામી વિજ્ઞાન મેળામાં માટે શુભેકક્ષા પાઠવી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...