વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામ ખાતેથી જુગાર રમતા બે શખ્સની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ગઈકાલે તાલુકાના સીંધાવદર ગામે રાયણવાળા હનુમાનજીના મંદીર પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીન પતીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ગોરધનભાઇ પોપટભાઇ ચાવડા અને પોપટભાઇ ગેલાભાઇ મકવાણાને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આ રેડ દરમ્યાન આરોપીઓ પાસેથી રોકડ રક રૂ. 2,750 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)