મોરબી: આજે ૨૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીના ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.
આજે વિશ્વ યોગદિવસ નિમિતે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયાધીશ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહીડા, પંડ્યા તથા રાવલ, ખાન, ચંદાણી , ઇજનેર, કોર્ટ સ્ટાફ, તથા વકીલઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
આ શિબિરને સફળ બનાવવા નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધારા તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલઓએ હાજર રહી આ શિબિરનો લાભ લીધો હતો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...