હોમ હવન ધ્વજારોહણ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફાગણ સુદ બીજ એટલે રાજલ બીજ અને માં આઈ રાજબાઇ નું પ્રાગટ્ય પર્વ જેની ભવ્ય ઉજવણી ચરાડવા અને સાપર ગામે ભક્તિ ભાવથી કરવામાં આવી હતી.
માં આઈ રાજબાઇ નાં પ્રાગટ્ય ની વાત કરીએ તો સંવત ૧૬૩૪ ફાગણ સુદ બીજ નાં દિવસે ચરાડવા મા ઉદા ચારણ ના ઘેર માં આઈ રાજબાઇ એ જ્ન્મ લિધો તેમનું પ્રાગટ્ય થયું હતું અને માત્ર નવ વર્ષની ઉંમરે માતાજી એ પરચો આપ્યો તે જગ વિખ્યાત છે બાદ મા દિન દુઃખીયો ના દુઃખો હરતાં હરતાં માં આઈ રાજબાઇ એનેક પરચા ઓ આપતાં માં આઈ રાજબાઇ જંગદબા તરીકે જાહેર થયાં અને ઘણા પરિવારો માં કુળ નાં કુળદેવી તરીકે પૂજાય છે જે માં આઈ રાજબાઇ ના પ્રાગટ્ય દિવસ નો બે દિવસ નો મહોત્સવ ઉજવાયો જેમાં ક્ચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર વઢવાણ પાટડી ધ્રાંગધ્રા અને મોરબી થીં માં આઈ રાજબાઇ નાં ભક્તો અને સેવકો પદયાત્રા કરી તો કોઈ વાહન મારફતે ચરાડવા ગામે પોહચી ગયા હતા જ્યાં માં ના સાંનિધ્યમાં હોમ હવન અને સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે સાપર ગામે દરબાર ગઢ મા બેઠેલા માં આઈ રાજબાઇ નો પ્રાગટ્ય દિવસ ની ઉજવણી મા સાપર ગામના ક્ષત્રિય પરિવાર નાં યુવાન દંપતી ઓ હવન મા બેસી ને ખુબજ શ્રધ્ધા ભાવથી માં આઈ રાજબાઇ નું પુજન અર્ચન કરીને આશિર્વાદ લિધા હતાં ત્યારે આજે માતાજી નાં પ્રાગટ્ય દિન નિમિત્તે માતાજી ના યજ્ઞમાં સાપર ગામના વડીલો માતા ઓ બહેનો બાળકો સહિત સહુ કોઈ એ માં આઈ રાજબાઇ નાં મંદિરે થ ઇ રહેલા યજ્ઞમાં હાજરી આપી હતી એકંદરે માં આઈ રાજબાઇ નાં ભક્તો એ માના પ્રાગટ્ય દિવસ ની ભક્તિ ભાવથી અને ધામધૂમથી ઉજવણી કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...