ટંકારા: ગત તા. ૨૧-૦૧-૨૦૨૩ ને શનિવારના રોજ ચાર વાગ્યે ટંકારા ગામે નવી ગ્રામ પંચાયત ભવનમાં ગ્રામસભા રાખવામાં આવી હતી.
જેમાં ગત ગ્રામ સભાની કાર્યવાહીને બહાલી આપી હતી, જલ જીવન મિશન કાર્યક્ર્મ અંતર્ગત નલ સે જલ યોજનાની કામગીરી પુર્ણ થયાનો ઠરાવ, વર્ષ ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨ ના પંદરમા નાણાં પંચની પુર્ણ થયેલ કામગીરીનું વાંચન, વર્ષ ૨૦૨૨/૨૩ના પંદરમા નાણાં પંચના કામોના આયોજનને બહાલી, ગામની નવી/જુની આંગળવાડીને લગતા બ્લોક, કલર, લાઈટ, શૌચાલય જેવા ભૌતિક પ્રશ્નોની ચર્ચા તેમજ સો. ચો. વાર ઘરથાળના પ્લોટ માટે secc ડેટા રદ કરી જુની પદ્ધત્તિ મુજબ પ્લોટ ફાળવવાની ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠી હતી. સામાજીક કાર્યકર ભરતભાઇ સોલંકી દ્વારા ટંકારા ગ્રામ પંચાયત વાળા રજીસ્ટરમાં તત્કાલીન તલાટી કમ મંત્રી દ્વારા ગેરરીતી અને છેડછાડ કરી વાસ્તવીકતા છૂપાવવામાં આવી છે તેના પુરાવા રજુ કરી પગલા ભરવા લાયઝન અધિકારીને રજુઆત કરી હતી.
આ તકે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ મોરબી જિલ્લા માંથી લાયઝન અધિકારી રંજન બેન મકવાણા, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ , ખેતીવાડી વિભાગ, જી ઈ બી વિભાગ, આંગળવાડી વર્કર, આશા વર્કર, રેવન્યુ વિભાગના જવાબદાર વ્યક્તિઓ હજાર રહ્યાં હતાં અને સ્થળ પર જ પ્રશ્નોના નિકાલ કર્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...