માળિયા પોલીસ જવાનનું રણમાં કાર પલટી જતા મોત થતા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ મુજબ ગઈકાલે કચ્છના નાના રણમાં આવેલ સુરેલ શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી પરત આવી રહેલા હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઇ કુકાભાઈ ગોલતર(ભરવાડ)તેમજ તેમના પરિવારના ભીમાભાઇ બાલુભાઈ ગોલતર, બલવાભાઈ માત્રાભાઈ ગોલતર અને વજાભાઈ સુંડાભાઈ ગોલતર માનગઢથી જી.જે ૧૩-એએમ-૬૭૭૩ નંબરની અલ્ટો કાર લઈ રણના સામા કાંઠે આવેલ સુરેલ શક્તિમાંના દર્શન કરવા ગયા હતા.દરમિયાન શક્તિમાંના દર્શન કર્યા બાદ કચ્છના નાના રણમાં આવેલ વાછડા દાદાના મંદિરે દર્શન કરી ટીકર(રણ) તરફ આવી રહ્યા હતા તે દરમિયાન રણમાં કાર પલટી મારી જતા કારમાં સવાર ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ ખસેડવામાં આવ્યા હતા પરંતુ પોલીસ જવાન સગરામભાઇને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હોય જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી
સગરામભાઈને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમની અંતિમયાત્રામાં એ.એસ.પી
અતુલકુમાર બંસલ,હળવદ પી.આઈ કે.જે.માથુકીયા,પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરીયા, માળીયા પીએસઆઈ બી.ડી.જાડેજા સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...