મોરબીના ગોરખીજડીયા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

લોકોને ઘરબેઠા લાભ મળે તે માટે આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ નો આઠમો તબ્બકો જેમાં ચૌદ ગામોનો સમાવેશ થયો છે. આ બાબતે વાત કરીએ તો ગ્રામ્ય પ્રજાને તાલુકા મથકે જવું ન પડે અને ઘરબેઠા સરકારી સેવાઓનો લાભ મળે તેવા હેતુસર આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું છે. આ સેવાસેતુ કાર્યક્રમ માં મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, મામલતદાર ડી.જે. જાડેજા, ટી.ડી.ઓ. દીપાબેન કોટક, ગોરખીજડીયા ના સરપંચ ગૌતમભાઈ મોરડીયા ,માનસર ના સરપંચ જીતુભાઈ સહિત સોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમ માં તલાટી મંડળ સહિત વહીવટી તંત્ર ની હાજરી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img