હવામાન વિભાગ ની આગાહી મુજબ હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ થતાં માવઠા ની આગાહી વચ્ચે ખેડુતો માં ચિંતા નું મોજુ ફરી વળ્યું છે તો બીજી તરફ આ વાદળછાયા વાતાવરણનાં કારણે રોગચાળો વકરવાનો ભય રહે છે
મોરબી સહીત સૌરાષ્ટ્રભર ભરમાં માર્ચઅને એપ્રિલ મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોચી હતી કાળઝાળ ગરમીમાં માણસની સાથે સાથે પશુ પક્ષીઓની સ્થિતિ કફોડી બની છે.કાળઝાળ ગરમીથી જનજીવનને અસર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર વાસીઓ માટે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રના વાતાવરણ પલટાયું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટાની પણ અસર જોવા મળી હતી અને મોરબીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોરબીમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે .
એક તરફ વાદળછાયા વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી છે પણ બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કમોસમી વરસાદ થાય તો ઉનાળુ પાક અને બાગાયત \પાક બન્નેમાં ખેડૂતને નુકશાન સહન કરવું પડી શકે છે જેથી ખેડૂતો હાલ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...