મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત એટલે વિવાદનું મોટું ઘર આ પંચાયત માં સરપંચ બનવું એટલે ધારાસભ્ય બરાબર કારણકે આ જિલ્લામાં એકજ આ પંચાયત છે જ્યાં મોટા ભ્રસ્ટાચાર થાય છે અવાર નવાર જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા છતાં રાજકારણીઓ કોઈને જવાબ દેવામાં સમજતા નથી કારણ કે આ ભ્રસ્ટાચારમાં સભ્યો થી લઈને કલેકટર સુધી હપ્તા પોહચી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે આસપાસ રાજ્યના લોકો અહીં રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે બાંધકામ પણ દિન પ્રતીદીન વધી રહ્યા છે 2001માં ભૂકંપ આવ્યા બાદ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયેલ હતો જેમાં ગ્રામપંચાયતને 3 માળથી વધુની મંજૂરી આપવી નહિ તેમ છતાં રવાપર ગ્રામપંચાયત દ્વારા 10 માળ સુધીની મંજૂરી એ પણ કોઈપણ સુવિધા વગર અપાઈ રહી છે જેમાં મસમોટા રૂપિયા બિલ્ડર તરફથી પંચાયત ને આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ નાણાકીય વહીવટને લઈને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો આંતરિક રીતે ભાગબટાઇમાં નારાજ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ગ્રામપંચાયતના ઉપસરપંચ એ રાજીનામુ આપતા પંચાયતમાં હોબાળો મચી ગયો છે કારણકે મહિલા ઉપસરપંચ દ્વારા ઘરકામ અને સામાજિક કાર્યના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળેલ છે જે બાબતે સરપંચ નીતિન ભટાસણા ને કોલ કરતા તેને કોલ માં જવાબ દેવાનું યોગ્ય સમજ્યું નહિ અને કોલ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું તેમજ મંજૂરી આપવામાં આવી છે કે નહિ તેવું બે દિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ જવાબ સંતોષકારક ન આપી શક્યા હતા. હાલતો રવાપર ગ્રામપંચાયત ના મહિલા ઉપસરપંચ ના રાજીનામાં પાછળ ભાગબટાઈ ની ચર્ચા એ જોર પકડ્યું છે. જો આ ચર્ચા ખોટી હોય તો જિલ્લા કલેકટરે યોગ્ય તપાસ કરીને બાંધકામની મંજૂરી અટકાવી જોઈએ અને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવા બદલ તમામ જવાબદારને કાયદાનું ભાન કરાવું જોઈએ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...