મોરબી : રાજસ્થાનથી ટ્રકના ટૂલબોક્ષ અને ચોરખાનામાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ સહિતના પોલીસ કાફલાએ ભરતનગર ગામની સામે આવેલ રામદેવ વે બ્રિજ પાસે છાપો મારીને રોડ ઉપર થંભેલા ટ્રકના ચોરખાનામાંથી રૂ. 2.86 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ વિરલ પટેલને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે રામદેવ વે બ્રિજ પાસે ટાટા કંપનીના ટ્રેઈલર (RJ-19-GD-5864) માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને મોરબી આપવા આવી એક શખ્સ ટ્રેઇલર પાર્ક કરી ઉભો છે તેવી ચોકકસ બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો કરીને બાતમીવાળા ટ્રેઈલરને પકડી પાડી ચેક કરતા ટ્રેઈલરના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 444 બોટલો તથા બીયરના 288 ટીન (કીં.રૂ. 2,86,260) ના જથ્થા સહીત ટ્રેઈલર (કીં.રૂ. 10 લાખ) મળી કુલ રૂ. 12,86,260 ના મુદામાલ સાથે ટ્રકચાલક રામચંદ્ર દલારામ વૈષ્ણવ (ઉં.વ. 29, રહે. લાખોણી ગોદારોન કી ઢાણી, નિમ્બલકોટ, તા. સિણધરી, જી. બાડમેર, રાજસ્થાન) ને દબોચી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને દારૂનો આ જથ્થો કોને મોકલ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...