મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ન્યુમીસમેટીક ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે મોરબીની વી.સી. ટેક્નિકલ હાઈસ્કુલ ખાતે પ્રથમ માળે આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી તા. 18 મે ને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 04 વાગ્યા સુધી મોરબીના યુવા વકીલ મિતેષ દવે અને દર્શન દવેના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રદર્શનને નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...