મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો
મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાક એવા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોં અને તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના 5 તાલુકામાં 19,600 ખેડૂતોની નોધણી થઇ હતી.અને જીલ્લામાં સોમવારથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે મોરબી માળિયાના ખેડૂતોને ખરીદી માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા છે
અહી સાંસદ મોહનભાઈ કુંડારિયા એપીએમસી વાઈઝ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ ગુજકોમાર્સલના પ્રતિનિધિ કાનજીભાઈ ભાગિયાની હાજરીમાં ખરીદી શરૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ખેડૂતમાટે અલગ અલગ સ્થળે ખરીદ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી-માળિયાના ખેડૂતોમાટે ખરીદ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ સિવાય ટંકારા અને વાંકાનેરના ખેડૂતો માટે અજંતા જીનીંગ મિલ તેમજ હળવદ તાલુકાના ખેડૂતો માટે હળવદ યાર્ડ ખાતે ખરીદ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...