ઠરાવ અંગે ફેરવિચારણા કરવા નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા અન્ય રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનો દ્વારા વિરોધના સૂર સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.રદ થયેલા ઠરાવ અંગે ફરી વિચારણા કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જન આંદોલન કરશે.જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ પ્રફુલભાઈ હોથી,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતિયા,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલા તથા અન્ય કાર્યકરોની હાજરીમાં મોરબી જિલ્લા કલેકટરને મોરબીને થયેલા અન્યાય કે જે મોરબીને મળેલ સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ રદ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપવાનો ઠરાવ મંજુર કરેલ છે.તેના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...