મોરબીઃ આયોધ્યાપુરી મેઈન રોડ પર જલારામ પ્રાર્થના મંદિરના સેજપાલ હોલ ખાતે તા. 05-06-2022 ને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ગીર આયુર્વેદ સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 2-30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે.
નિદાન કેમ્પમાં વર્ષોના અનુભવ અને આયુર્વેદના સમન્વથી શરીરના જટીલ રોગોનું નાડી પરિક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઈલાજ કરવામાં આવશે. જેમાં ગીર (સાસણ)ના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કરશે. આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જુના, હઠીલા રોગો હોય તેવા દર્દીઓને ખાસ મુલાકાત લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાથ-પગ, સાયટીકા, ગોઠણ, વાની તકલીફ, સોર્યાસીસ, સ્ત્રીરોગ, કમરના મણકાને લગતી તકલીફ,ડાયાબિટીસ જેવા જટીલ રોગનું નિદાન કરવામાં આવશે. નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધણી કરાવવી ફરજિયાત છે. નામ નોંધાવવા માટે અશોકભાઈ મહેતા (મો.નં.- 99784 42851), હરીશભાઈ શેઠ (મો.નં.- 93761 61406), સિદ્ધાર્થભાઈ જોષી (મો.નં.- 92288 97392) અથવા મો.નં.- 63563 51115 પર સંપર્ક કરવા જણાવાયું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...