મૃતકને સંતાન માં એક 4 વર્ષ નો છોકરો અને એક 2 વર્ષ ની છોકરી છે
મોરબી શહેરમાં વાવડી રોડ પર રહેતી 27વર્ષની પરિણીતા એ કોઈ અગમ્યકારણોસર મોત વ્હાલું કરી લેતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ ની નોધ કરી પોલીસ ઊઆગળની તપાસ ની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી પાલિકાના મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડીયાની 27 વર્ષીય પરણિત પુત્ર રસ્મિતાબેન પ્રણવભાઈ નગવાડીયાએ વાવડી રોડ પર આવેલ કુબેર નગર વિસ્તારમાં તેમના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ મૃતક રશ્મિકા બેનને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ હતા ભાનુબેન તેમના પરિજનો તેમજ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલે આવી પહોચ્યા હતા.
પુત્રીના આપઘાત બાદ માતા પોક મુકીને રડી પડતા વાતાવરણ ગમગીન બની ગયુંબનાવ અંગે પોલીસે પણ નિવેદન નોધવા તજવીજ હાથ ધરી છે. રશ્મિકાબેનના 6 વર્ષ પહેલા પ્રણવ વ્યાસ સાથે લગ્ન થયા હતા.2 મહિના પહેલા જ કુબેર નગરમાં એક મકાન ખરીદ્યું હતું રહેવા ગયા હતા.મૃતકને સંતાનમાં 4 વર્ષનો છોકરો અને 2 છોકરી છે. જોકે રશ્મિકાબેને ક્યા કારણસર આપઘાત કર્યો તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ હાલ પરિજનોની પુછપરછ કરી રહી છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...