મૃતકને સંતાન માં એક 4 વર્ષ નો છોકરો અને એક 2 વર્ષ ની છોકરી છે
મોરબી શહેરમાં વાવડી રોડ પર રહેતી 27વર્ષની પરિણીતા એ કોઈ અગમ્યકારણોસર મોત વ્હાલું કરી લેતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ ની નોધ કરી પોલીસ ઊઆગળની તપાસ ની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી પાલિકાના મહિલા કાઉન્સીલર ભાનુબેન નગવાડીયાની 27 વર્ષીય પરણિત પુત્ર રસ્મિતાબેન પ્રણવભાઈ નગવાડીયાએ વાવડી રોડ પર આવેલ કુબેર નગર વિસ્તારમાં તેમના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ મૃતક રશ્મિકા બેનને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ હતા ભાનુબેન તેમના પરિજનો તેમજ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલે આવી પહોચ્યા હતા.
પુત્રીના આપઘાત બાદ માતા પોક મુકીને રડી પડતા વાતાવરણ ગમગીન બની ગયુંબનાવ અંગે પોલીસે પણ નિવેદન નોધવા તજવીજ હાથ ધરી છે. રશ્મિકાબેનના 6 વર્ષ પહેલા પ્રણવ વ્યાસ સાથે લગ્ન થયા હતા.2 મહિના પહેલા જ કુબેર નગરમાં એક મકાન ખરીદ્યું હતું રહેવા ગયા હતા.મૃતકને સંતાનમાં 4 વર્ષનો છોકરો અને 2 છોકરી છે. જોકે રશ્મિકાબેને ક્યા કારણસર આપઘાત કર્યો તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી.પોલીસ હાલ પરિજનોની પુછપરછ કરી રહી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...