હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા વિરપડા ગામે તારીખ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે સાદરીયા પરિવાર નાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી મંદિર ખાતે સાદરીયા પરિવાર નું સ્નેહ મિલન અને હોમ હવન સહિત ભજન કીર્તન જેવાં ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
સવારે 7:00 હોમ હવન બપોરે મહાપ્રસાદ નું આયોજન અને બપોરના 3:30 કલાકે બીડુ હોમવાનું તેમજ રાત્રે 8:00કલાકે સુંદર કાંડ નાં પાઠ કરવામાં આવશે આ ત્રિવિધ કાર્યક્રમમાં સહુ સાદરીયા પરિવારે ઉપસ્થિત રહેવા યાદી માં જણાવ્યું છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...