મોરબી વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે તારીખ 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે
મોરબીના નાની વાવડી રોડ સમજુબા વિદ્યાલય પાછળ આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમા તારીખ 12/03/2022 શનિવારના રોજ રામદે ગૌશાળા મંડળ લુશાળા તાલુકો વંથલી જિલ્લો જુનાગઢના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરેલ છે. સાંજે 5 વાગ્યે કબીર આશ્રમ વાવડી રોડ થી શોભાયાત્રા/સામૈયા નીકળશે તથા રામાપીર ના પાઠ રાત્રે 9 વાગ્યે વટેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવેલ છે તેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ તકનો લાભ લેવા બહાદુરભાઈ ડાંગર તથા વાટીકા સોસાયટી મિત્ર મંડળ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે 9879293247 પર સંપર્ક કરવો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...