*સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણ પુર્ણાહુતી પ્રસંગે ધામેધામના અનેક સંતો મહંતો અને ૧૫ હજાર થી વધુ હરીભક્તો ઉમટી પડીયા*
હળવદ માં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું) રવા. નગર સરા ચોકડી હળવદનો ૧૫ વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા અને ચરિત્રો થી ભરપુર ગ્રથરાજ શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ અને સત્સંગ સભા સપ્ત દિવસીય નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેની પુર્ણાહુતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
હળવદ સ્વામીનારાયણ મંદિર નવું હળવદ ના ૧૫ માં વાર્ષિક પાટોત્સવ મહોત્સવ તા. ૨૧.૩ થી તા.૨૭.૩ સુધી સત્સંગી જીવન પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ માં ધન્શયામ જન્મોત્સવ, ડ્રાયફ્રુટ નો અભિષેક ગાદીપટ્ટા અભિષેક,રાજોપચાર પુજા. ભવ્ય રાસોત્સવ, હીડોળા ઉત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં. આ કથાના મુખ્ય યજમાન તરીકે અમરશીભાઈ પ્રભુભાઈ ધારીયા પરમાર હસ્તે ગં.સ્વ રતનબેન અમરશીભાઈ ધારીયા પરમાર પરિવાર રહેશે. આ કથાના વક્તા દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી ચરાડવા અને વ્રજ વલ્લભદાસજી સ્વામી મુળીધામ, કથાનું રસપાન કરાવ્યું હતું.આ કાર્યક્રમના પ્રેરક શ્રીજી સ્વરૂપ દાસજીસ્વામી.સ્વામિનારાયણ મંદિર નવું હળવદ વાળા.આ મહોત્સવમાં અનેક ધમો ધમો થી સંતો-મહંતો રાજકીય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. પારાયણ ના છેલ્લા દિવસે મંગલા આરતી મહા અભિષેક દર્શન,અનકુટ દર્શન, સ્વામિનારાયણ મહામંત્ર ધૂન, કથા, સંતોનાં આશીર્વચન, મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.આ સપ્ત દીવસય વાર્ષિક પાટોત્સવના છેલ્લા દીવસે પંદર હજાર થી વધું હરિભક્તો ઉમટી પડીયા હતા.કાર્યક્રમની આભારવિધિ એન્જિનિયર રોનકભાઇ એ કરી હતી.
આપ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી શિષ્ય મંડળ તથા સત્સંગી મંડળ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...