૬.૫ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ મયુર ડેરીનાં નવનિર્મિત ચિલિંગ સેન્ટરનું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
મોરબીની મયુર ડેરીના પ્લાન્ટ નું આજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મોરબીની મયુર ડેરી છે આજથી પાંચ વર્ષ પહેલા પાંચ હજાર લિટર દૂધથી શરૂઆત કરવામાં આવે આ ડેરી દ્વારા આજની તારીખે મહિલાઓ દ્વારા દૈનિક ૧.૮૬ લાખ કિલો દૂધનું સંપાદન કરવામાં આવે છે અને પશુપાલકોને ખૂબ જ સારુ વળતર આપવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આ સંઘ અમૂલ ની જેમ નામના મેળવે તેના માટે શુભકામનાઓ પાઠવી હતી
મોરબીમાં પંચાસર રોડ ઉપર મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરી નો પ્લાન તૈયાર કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ આજે કેન્દ્રના પશુપાલન વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબી જિલ્લા પ્રભારી દેવાભાઈ માલમ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જો કે 2015 માં આ ડેરીની શરુઆત 97 દૂધ મંડળી અને ૫૦૦૦ લિટર દૂધ સાથે કરવામાં આવી હતી જોકે આજની તારીખે 296 દૂધ મંડળીઓ તેની સાથે સંકળાયેલી છે અને દૈનિક ૧.૮૬ લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે
મયુર ડેરીની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ મહિલાઓ સંચાલિત મયુર ડેરી આત્મનિર્ભર બની છે જેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા જમીનની ફાળવણી કરતા અહીંના પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં રૂપિયા 6.5 કરોડના ખર્ચે મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ આધુનિક ચિલિંગ પ્લાન્ટનું ઉદઘાટન થયું છે.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...