મોરબી તાલુકાના નારણકા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ૨૦૧૮/૨૦૨૨ સુધી ફરજ બજાવી ચુકેલ દિવ્યરાજસિંહ જાડેજાની ખાખરાળા ગામે બદલી થતાં વિદાય સન્માન સમારોહનું નારણકા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવનિયુક્ત તલાટી કમ મંત્રીનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નારણકા ગામે જુના પાદર ખાતે નારણકા ગ્રામ પંચાયત કમિટી દ્વારા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાનું શાલ તથા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખાખરાળાથી નારણકા ગામે મુકાયેલ નવનિયુક્ત તલાટી કમ મંત્રી જયદિપભાઈ જોગલનું પણ શાલ ઓઢાડી નારણકા ગ્રામ પંચાયત કમિટીએ સન્માન કર્યું હતું. આ તકે ગામમાં ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં તલાટી કમ મંત્રી તરીકે દિવ્યરાજસિંહ જાડેજાએ નારણકા ગામમાં 100% ભૂગર્ભ ગટર, સી.સી.રોડ, સમગ્ર ગામમાં પીવાની લાઇનની સુવિધા, ૨૪ કલાક વીજળીની સુવિધા, પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડમાં આર.સી.સી તથા છત રિપેરિંગ, સ્મશાન જવાના રસ્તાઓમાં સી.સી.રોડ, અનુ.જાતિ સમાજના સ્મશાન જવાના રસ્તે કોઝ વે, કોરોના મહામારી સમયે સેનિટાઈઝેશન કામગીરી તથા માસ્ક, સેનિટાઇઝર વિતરણ, ગ્રામ પંચાયતમાં ઇ ગ્રામ સુવિધા, આવકના દાખલા, 7-12, 8અ વગેરે તથા સરકારશ્રની મળતી યોજના વિશે માહિતી આપી લાભો અપાવવાના યથાત પ્રત્યન કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ નારણકા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ જાડેજાને વિદાયમાન અપાયું હતું
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...