આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓની આવતીકાલે ખરી કસોટી છે મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 20,570 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેમાં સવારે ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરિક્ષા યોજાશે આંકડા પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં આ વર્ષે 20,570 છાત્રો નોંધાયા છે જેમાં ધોરણ 10ના 12,844 છાત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1499 ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6227 છાત્રો નોંધાયા છે. આ વિધાર્થીઓને બેઠક વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોચાડવા, તેમજ રિસીવ કરવા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી લોકલ સ્કોવડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં 75 બિલ્ડીંગ ફાળવામાં આવ્યા છે જેના 787 બ્લોકમાં વિધાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ મુજબ જોઈએ તો ધોરણ 10માં 47 બિલ્ડીંગમાં 468 બ્લોક,ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 20 બિલ્ડીંગમાં 219 બ્લોક,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8 બિલ્ડીંગ 100 બ્લોક ફળવામાં આવ્યા છે આ તમામ સ્થળ પર બેઠક વ્યવસ્થા અંગેની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે
બોર્ડની પરીક્ષા માટેના નિયમો
વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...