વડગામનાં ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે કરેલી ધડપકડ નાં વિરોધ માં મોરબીમાં આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મોરબી નાં આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ધરણાં યોજી કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરેલ છે તે ગેર કાયદેસર રીતે કરેલ છે
કારણકે ધારાસભ્ય ની ધરપકડ કરવી હોય તો સ્પીકર ને જાણ કરવી પડે અને ધરપકડ જ્યાં થી કરી હોય ત્યાં ની કોર્ટ માં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટ ની મંજૂરી લય જ્યાં ફરિયાદ થય હોય ત્યાં લય જવા જોય પણ આતો દલિત સમાજ ના નેતા ની ધરપકડ કરી દલિત સમાજ ને ડરાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે
અમારા દલિત સમાજ ના નેતા અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ની ધરપકડ ને વખોડીએ છીએ તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં આગેવાનો એ જણાવ્યું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...