મોરબી: મોરબીમાં નવલખી રોડ ઉપર મનો દિવ્યાંગ બાળકોના વોકેશનલ સેન્ટરમાં રવિવારે હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમા મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા માનનીય સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધા મના રંગો દ્રારા ઉજવ્યો, દિવ્યાંગ બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવી હતી.
સાથેજ મિહિરભાઈ રાયકાનો જન્મ દિવસ હોય તે ખુશીનિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે હનુમાનજીના મંદિરે દીપ પ્રગટાવી શ્રદ્ધા પૂર્વક હનુમાન ચાલીસાના પાઠ કરી દિવ્યાંગ બાળકો સાથે સાત્વિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ધર્મ અને સંસ્કૃતિને સાથે રાખી દિવ્યાંગો સાથે સાદી બેઠકમાં ભોજન લેવું તે મિહિરભાઈ રાયકાનો ઉમદા વિચાર સંસ્કારોનું દર્શન કરાવે છે, સાથે સંત રોહિદાસ શાખાના સ્વયં સેવક ઉપસ્થિત રહેલ, પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી પછાવળી ખોટા ખર્ચ બંધકરી જરૂરતમંદને ખવડાવીને ખાવું તે આપણા દેશની સભ્ય સંસ્કૃતિ છે, તે ઉદાહરણ સ્વરૂપ કાર્યક્રમ સફળ બનાવેલ.
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...