કોઇ પણ આપતિજનક પરિસ્થિતિને પહોંચી વળવા આપદા મિત્ર પ્રોજેક્ટ હેઠળ મોરબીનાં આપદા મિત્રો સજ્જ
કેન્દ્ર સરકાર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વિવિધ રાજ્યોમાં અપસ્કેલિંગ ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ પ્રોજેક્ટ GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા ૧૭ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવ્યો છે તે જિલ્લા પૈકી મોરબી જિલ્લો પણ એક છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૨ દિવસની બીજી બેચની તાલીમ તારીખ ૨૩/૦૧/૨૦૨૩ થી ૩/૦૨/૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી. આ તાલીમમાં અગાઉના વર્ષના ૬૨, હાલના વર્ષની પહેલી બેચમાં ૨૫ અને બીજી બેચમાં ૨૩ એમ કુલ ૧૧૦ આપદા મિત્રોએ તાલીમ લીધી. આ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લામાંથી હોમગાર્ડ, GRD, NSS, NCC મળીને આ વર્ષે કુલ ૪૮ કેડિટસએ ગોધરા ખાતે તાલીમ લીધી હતી.
ગુજરાત રાજ્ય અંદર ગોધરા જિલ્લામાં SDRF ગ્રુપ-૫, ગોધરા દ્વારા તાલીમ કેન્દ્ર કાર્યરત છે. ગોધરા જિલ્લામાં આપત્તિજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ આપદા મિત્ર તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે પ્રાથમિક સારવારમાં આગ સલામતી, શોધ અને બચાવ કામગીરી, પૂર, ભૂકંપ, ચક્રવાત, તમામ આપત્તિ અંગેની તાલીમ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને આપત્તિની અસરને કેવી રીતે ઓછી કરવી તે પણ શીખવવામાં આવ્યું છે.
આ તાલીમ હેઠળ તાલીમાર્થીઓને તાલીમ માટે ખાસ તાલીમ કિટ સાથે રોજનાં ૧૦૦ એમ કુલ ૧૨ દિવસનાં ૧૨૦૦ રૂપિયા ભથ્થુ આપવામાં આવે છે. તેમજ આ તાલીમ માટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...