મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી ની જુની આરટીઓ ઓફિસ સામે ઉમા રિસોર્ટ ખાતે મીટીંગ રાખવામાં આવી છે.
આગામી રવિવારે તારીખ 20-03-2022 ના રોજ કંડલા બાયપાસ પાસે આવેલા ઉમા રિસોર્ટ ખાતે સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તૈયારી સંગઠન મજબૂત બનાવવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા હોદેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવામાં આવશે ત્યારે તેવી માહિતી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...