મોરબી અજંતા કલોક સામે કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત
મોરબી રાજકોટ હાઈવે ઉપર અજંતા ક્લોકની સામે સ્વીફ્ટ કાર ચાલકે બાઈક સવાર યુવાનને હફફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા આ અકસ્માતમાં બાઈક ચાલક એવા આદિવાસી શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના નસીતપર ગામે બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા વિપુલભાઈ ભારતભાઈ સંગાડા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે
તેના મોટાભાઈ ઉમેશભાઈ પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ એજે ૬૦૩૭ લઈને નસીતપરથી મોરબી તરફ જતા હોય દરમિયાન અજંતા કલોક સામે પહોચતા પાછળથી આવેલ મારુતિ સ્વીફટ જીજે ૩૬ આર ૩૫૧૮ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને ઉમેશભાઈના મોટર સાઈકલને હડફેટે લેતા ઈજા પહ્હોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...