વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે
જે શોભાયાત્રા તા. ૧૦ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠાથી પ્રારંભ થશે અને શહેરના મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડથી રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામેના રસ્તાથી બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, રવાપર રોડ વસંત પ્લોટ, શાક માર્કેટ અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પુર્ણાહુતી કરવામાં આવશે જે શોભાયાત્રામાં હિંદુ ભાઈઓ અને બહેનોએ જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ સહિતની સંસ્થાઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...