ગ્રીષ્માની જેમ જેતલસરની દીકરીને પણ ન્યાય આપવા માંગ

પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની મુખ્યમંત્રીને રજૂઆત

સુરત સેસન્સ કોર્ટે ઐતેહાસીક ચુકાદો આપીને ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારીને છે અને ગ્રીષ્મના પરિવારને ન્યાય મળ્યો છે. ત્યારે આવો જ બનાવ ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામ ની દીકરી સાથે પણ બન્યો હતો ત્યારે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.


મહત્વનું છે કે ગ્રીસમાં હત્યાકેસમાં થોડા દિવસોની અંદર જ કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિતોને ફાંસી ની સજા ફટકારાઈ છે ત્યારે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની રજૂઆત છે કે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦થી વધુ છરીના ઘા ઝીંકનાર નરાધમને પણ ફાંસીની સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img