મોરબી નગરપાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન માટે એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાકટ રદ કરાયો
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શ્રીજી એજન્સી એ ૩૦૨, સિદ્ધિ વિનાયક ટાવર, અમદાવાદને લેખિત નોટીસ પાઠવી જણાવ્યું છે કે તા. ૦૩-૦૫-૨૦૧૮ થી ટેન્ડર પ્રક્રિયા કરી ૩ વર્ષ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટ તા. ૩૦-૦૪-૨૦૨૧ ના રોજ પૂરો થયેલ અને બાદમાં એક વર્ષ માટે તા. ૩૦-૦૪-૨૦૨૨ સુધી લંબાવેલ પરંતુ વારંવાર લોકોની ફરિયાદ અને અનિયમિત કામના કારણે હાલનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે છે
તાત્કાલિક અસરથી નગરપાલિકાના તમામ વાહન જે સ્થિતિમાં એજન્સીને આપેલ તે સ્થિતિમાં ૨ દિવસ માં નગરપાલિકાને પરત કરવા જાણ કરવામાં આવી છે હવે પછીથી ડોર ટૂ ડોરની તમામ કામગીરી મોરબી નગરપાલિકા દ્વારા કરાશે તેમ પણ ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...