ગુજરાતમાં ભુજ કચ્છ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું 18-19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે દિવસીય આયોજન રાજ્યગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં શિક્ષણક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ ઉપરાંત વિશેષ પ્રવૃત્તિ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શિક્ષક પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી કમિટી દ્વારા આવા શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
જેમાં ખાખરાળાના વતની અને હાલ મોરબી જિલ્લામાં નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ શિક્ષક શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી. જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. જેને કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી, જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ તેમજ તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે. શિક્ષણની સાથે સાથે તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે.તેઓના આ પ્રકારના ઇનોવેટીવ શિક્ષણકાર્ય પદ્ધતિથી તેઓને જુદા જુદા દશેક જેટલાં વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યા છે.તેમને મળેલ આ ઇન્ટરનેશનલ એવોર્ડથી શિક્ષણજગતમાં પોતાની શાળા ઉપરાંત મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં રવિવારે રાત્રે બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મનસુખભાઇ ડાભી (ઉ.વ. 50) અને તેમના મિત્ર અલ્પેશભાઇ સાબરિયાને દેશી દારૂ પીવાની ટેવ હતી. રવિવારે રાત્રે નવેક વાગ્યાની આસપાસ આ બંને મિત્રો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
જેમને તાત્કાલિક...
સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતા જય દલાલની જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જય દલાલ ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય હતા અને લીંબાયતના ધારાસભ્ય...
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...