મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના બસ સ્ટેશન પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ૦૧ પીસ્તોલ અને ૦૮ (આઠ) જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી., મોરબી તથા એસ.ઓ.જી. મોરબીના પોલીસ કર્મચારીઓ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે, હારૂન ખમીશા વાઘેર રહે. મોરબી જુના એસ.ટી.બસ સ્ટેશન પાસે, મચ્છીપીઠ મોરબી વાળો છે તે હાલમાં પોતાની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ અને કાર્ટીઝ પોતાના કબજા રાખી અને હાલમાં જુના બસ સ્ટેશન પાછળની પશ્ચિમ દિશા બાજુની શેરીમાં બેઠો છે અને તેણે શરીરે બ્લુ દુધીયા કલરનો ચેક્સ વાળો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે અને તે શરીરે પાતળો છે. તે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ હાઉનભાઇ ઉર્ફે રસીદભાઇ ખમીશાભાઇ અટક ધૈયમ જાતે વાઘેર (મુસ્લીમ) ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.મચ્છીપીઠ, જુના બસ સ્ટેશન પાસે, પીરના તકીયાની બાજુમાં તા.જી.મોરબી. વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ-૦૮ કિં.રૂ.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૮૦૦/-ના મુદામાલ, સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...