Friday, April 26, 2024

મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી ગાયત્રી મંદિરનો આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી રામદેવપીર ગાયત્રી મંદિરનો આવતીકાલે તા. ૧૦-૧૨ -૨૦૨૨ ને શનિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાત્રે ભવ્ય સંતવાણી રાખેલ છે જે રાત્રે ૦૯:૩૦ કલાકે શરૂ થશે જેમાં લક્ષ્મણ બારોટ, ભગવાનજીભાઈ બોરીચા, વાઘજીભાઇ રબારી ભજનોની રમઝટ બોલાવશે. તેમજ આવતીકાલે તા.૧૦ ડીસેમ્બરને શનીવારે બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. અને આવતીકાલે બપોરે ૧૨:૧૫ કલાકે મંદિરમાં મુર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમજ ધ્વજા રોહણ તથા કળશ સ્થાપના કરવામાં આવશે. તેમજ આવતીકાલે બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવશે. તેથી સંત શ્રી સીતારામબાપુ ગુરુ શ્રી કિસોરદાસબાપુ દ્વારા આ શુભ ધાર્મિક અવસરે મહાયજ્ઞનના દર્શનનો લાભ લેવા તેમજ સંતોના આશીર્વાદ લેવા તેમજ મહાપ્રસાદ લેવા આપ સર્વેને પધારવા રામદેવપીર મંદિર વતી આમંત્રણ પાઠવીએ છીએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર