મોરબી પંથકમાં સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જરૂરિયાતમંદ લોકો આવી પ્રવૃત્તિઓથી લાભાન્વીત થતા હોય છે,હાલના સમયમાં લોકોનું આરોગ્ય વિષયક સેવાઓની અતિ આવશ્યક છે ત્યારે સતવારા સહકાર મંડળ-મોરબીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (મોરબી)ના સહયોગથી *સર્વ રોગ નિદાન બ્લડ ગૃપિંગ તથા મેડિકલ દવા માટેનું કેમ્પનું અદકેરું આયોજન તા.25.12.22 ને રવિવારે સવારે 9.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી અત્રેની માધાપરવાડી શાળા ખાતે કરવામાં આવેલ છે,જેમાં મગજની બીમારી,હૃદયરોગ, જનરલ મેડિસિન,બાળરોગ, હાડકાની તકલીફો,ચામડીના રોગો સ્ત્રીરોગ,આંખની તકલીફ,ડેન્ટલ વગેરે રોગોના દર્દીઓની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે તો ખુબજ મોટી સંખ્યામાં દર્દીઓને આ મેડીકલ કેમ્પનો લાભ લેવા સતવારા સહકાર મંડળ- મોરબીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે,
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...